Brain Problem, GujHealth

મગજ ને વધુ સક્રિય કેવીરિતે બનાવશો ? – Guj Health Guru

brain-guj-800x445.png

                 મગજ ને વધુ સક્રિય કેવીરિતે બનાવશો ?

મગજ એ માનવ શરીરનું સૌથી જટિલ અંગ છે. ઘણા લોકોનું માનવું છે કે વ્યક્તિ તેમના મગજનો માત્ર ૧૦% ઉપયોગ કરે છે. શું આ વાતમાં કોઈ સત્ય છે?
વ્યક્તિનું મગજ નક્કી કરે છે કે તેઓ કેવી રીતે તેમની આસપાસની દુનિયાનો અનુભવ કરે છે. વ્યક્તિના મગજનું વજન ૩ પાઉન્ડ્સ છે અને તેઓ આશરે ૧૦૦ અબજો ચેતાકોષો ધરાવે છે– ચેતાકોષો એટલે કે કોષો જે માહિતી પહોચાડે.
આ લેખમાં, આપણે અન્વેષણ કરીશું કે કેવી રીતે વ્યક્તિ તેમના મગજનો ઉપયોગ કરે છે. આપણે કેટલાક વ્યાપક માન્યતા ને તપાસીશું અને મગજ વિશે કેટલીક રસપ્રદ તથ્યો જાહેર કરીશું.
આપણે આપણા મગજનો કેટલો ઉપયોગ કરીએ છે?
૨૦૧૩ ના સર્વેક્ષણ પ્રમાણે, લગભગ ૬૫ ટકા અમેરિકનો માને છે કે આપણે ફક્ત ૧૦ ટકા જ મગજનો ઉપયોગ કરીએ છીએ.
સાયન્ટિફિક અમેરિકનમાં ન્યુરોલોજીસ્ટ બૅરી ગોર્ડનએ એમની મુલાકાતમાં જણાવ્યું કે આ ખાલી કથા છે. તેઓ સમજાવે છે કે મગજનો મોટા ભાગનો હિસ્સો હમેંશા સક્રિય હોય છે.
ફ્રન્ટિયર્સ ઈન હ્યુમન ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ૧૦ ટકા માન્યતા ને નકામી ગણાવવામાં આવી છે.
એક સામાન્ય મગજ ઇમેજિંગ ટેકનીક, જેને ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (એમઆરઆઈ) કહેવાય છે, જે મગજની પ્રવૃત્તિ માપી શકે છે જયારે કોઈ વ્યક્તિ વિવિધ કાર્યો કરે છે.
આ અને સમાન પદ્ધતિઓનો ઉપયોગ કરીને, સંશોધકો દર્શાવે છે કે મોટા ભાગે આપણા મગજનો ઉપયોગ કરવામાં આવે છે, પછી ભલેને વ્યક્તિ કોઈ સરળ કાર્ય કરી રહ્યું હોય.

જયારે વ્યક્તિ સૂતું કે વિશ્રામ કરી રહ્યું હોય ત્યારે પણ મગજના મોટા ભાગનો હિસ્સો સક્રિય હોય છે.
કોઈ પણ સમયે ઉપયોગમાં લેવાતી મગજની ટકાવારી વ્યક્તિથી વ્યક્તિ અલગ અલગ હોય છે. વ્યક્તિ શું કરી રહ્યું છે અને શું વિચારે છે એના પર આધાર રાખે છે.
આ ૧૦ ટકાવાળી માન્યતા ક્યાંથી આવી?
આ માન્યતા કેવી રીતે શરૂ થઈ તે સ્પષ્ટ નથી, પરંતુ તેના ઘણા સંભવિત સ્રોતો છે.
જર્નલ સાયન્સના ૧૯૦૭ની આવૃત્તિમાં પ્રકાશિત થયેલા એક લેખમાં ન્યુરોલોજીસ્ટ અને લેખક વિલિયમ જેમ્સે એવી દલીલ કરી હતી કે માનવીઓ તેમના માનસિક સંસાધનોનો એક ભાગનો ઉપયોગ કરે છે. તેમ છતાં, તેમણે ટકાવારી સ્પષ્ટ કરી નથી.
આ આંકડો ડેલ કાર્નેગીના ૧૯૩૬ના પુસ્તક હાઉ ટુ વીન ફ્રેન્ડ્ઝ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલના સંદર્ભમાં આપવામાં આવ્યો હતો. આ માન્યતા ને લેખકના કૉલેજ પ્રોફેસર કહેતા હતા એ રીતે વર્ણન કર્યું છે.
વૈજ્ઞાનિકો વચ્ચે એવી માન્યતા પણ છે કે મગજના કોશિકાના લગભગ ૧૦ ટકા ચેતાકોષો બનાવે છે. તેઓએ ૧૦ ટકા માન્યતા તરફ યોગદાન આપ્યું હોઈ શકે છે.
આ માન્યતા લેખો, ટીવી કાર્યક્રમો અને ફિલ્મોમાં પુનરાવર્તિત કરવામાં આવી છે જે સમજાવવામાં મદદ કરે છે કે શા માટે તે વ્યાપકપણે માનવામાં આવે છે.
મગજ કાર્ય(brain functions) કેવીરિતે સુધારવા?
અન્ય અંગની જેમ જ, મગજ વ્યક્તિની જીવનશૈલી, આહાર અને વ્યક્તિ કેટલો વ્યાયામ કરે છે તેનાથી પ્રભાવિત થાય છે.
મગજનું આરોગ્ય અને કાર્યને સુધારવા માટે, વ્યક્તિ નીચેની બાબતો કરી શકે છે-

Leave a comment